સરકી જાયે પલ
સરકી જાયે પલ
કાળ તણું જાણે કે એ તો વરસે ઝરમર જલ
નહિ વર્ષામાં પૂર નહિ ગ્રીષ્મ મહીં શોષાય
કોઈના સંગ નિ:સંગની એને કશી અસર નવ થાય
ઝાલો ત્યાં તો છટકે એવી નાજુક ને ચંચલ
છલક છલક છલકાય છતાં યે કદી શકી નવ ઢળી
વૃન્દાવનમાં વળી કોઈને કુરુક્ષેત્રમાં મળી
જાય તેડી પોઢેલાંને યે નવે લોક, નવ સ્થલ
-મણિલાલ દેસાઈ
ક્લીક કરો અને સાંભળો
હરિહરનના કંઠે અજિત શેઠની સ્વરરચનાઃ
|