કીડી અને કબૂતર
એક તરસી કીડી નદી ઉપર પાણી પીવાને ગઈ હતી. પાણીનો વેગ વધારે હોવાથી તે તણાતી ચાલી. તે એક કબૂતરે દીઠી અને તેને દયા આવી, તેથી ચાંચ વતી ઝાડનું એક પાંદડું તોડીને પાણીમાં નાખ્યું. તેને વળગીને પેલી કીડી કિનારે આવી અને તેનો જીવ બચી ગયો. પછી એક દિવસ એવી વાત થઈ કે તે જ કબૂતર એક ઠેકાણે બેઠું કતું, તે ન જાણે એમ એક શિકારી તેના ઉપર જાળ નાખતો હતો. તે કીડીએ જાણ્યું એટલે તે વખતે જ જઈને કબૂતરને પગે ચટકો ભર્યો, તેથી તે ઝટ લઈને ઉડી ગયું.
આ વાત ઉપરથી એ સમજવું કે આપણે બીજા ઉપર ઉપકાર કરતા રહેવું, અને કોઈએ આપણું ભલું કર્યું હોય તો તે વાત મનમાં રાખીને તક આવે ત્યારે તેનો બદલો વાળવાનું ચૂકવું નહીં. એવું કીધાથી ભગવાન રાજી રહે છે, લોકમાં આબરું વધે છે, ને આપણું સારું થાય છે.
|